Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

જડેશ્વર વેલનાથ સોસાયટીમાંથી ૧૪ વર્ષની બાળા બે દિવસથી ગૂમઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ રણુજા નગર પાસે જડેશ્વર વેલનાથ સોસાયટીમાં  રહેતી ૧૪ વર્ષની બાળા પરમ દિવસે ઘરેથી ગૂમ થઇ ગયા બાદ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

અપહરણના આ બનાવમાં આજીડેમ પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે તેણીએ આઠ વર્ષ પહેલા લવમેરેજ કર્યા છે. તેના પતિના આ બીજા લગ્ન છે. પતિને આગલા ઘરની બે દિકરી અને એક દિકરો છે. જેમાં મોટી દિકરી ૧૪ વર્ષની છે. ૨૨મીએ સવારે સાડા દસેક વાગ્યે પોતે ઘરે હતી ત્યારે દિકરીને કાનમાં દુઃખાવો થતો હોઇ તે સુતી હતી. થોડીવાર બાદ તે રૃમમાં જોવા ન મળતાં તપાસ કરી હતી. પરંતુ તે કયાંય મળી આવી ન હોઇ પોલીસને જાણ કરી હતી.

તેણીને કોઇ છોકરો ભગાડી ગયો કે કેમ? તે અંગે કોઇના પર શંકા દર્શાવાઇ ન હોઇ પોલીસે સગીરા ગૂમ થવાના કિસામાં અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી છે. બાળા ઘરેથી નીકળી ત્યારે ગુલાબી રંગની કુર્તી અને કાળી લેગીંશ પહેરી હતી તેમજ કાળી ઓઢણી ઓઢી હતી. પીએસઆઇ આર. વી. કડછા અને કિશોરભાઇ ઘોડાદરાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. 

(3:08 pm IST)