Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

મ.ન.પા. દ્વારા ખાનગી મેળા માટે ત્રણ પ્‍લોટના ટેન્‍ડર : માત્ર નાના મૌવાના પ્‍લોટમાં જ રસ

૧૦ ઓગષ્‍ટથી જન્‍માષ્‍ટમીના મેળા માટે પ્રતિ ચો.મી.ના રૂા. ૫ના ભાડા સામે રૂા. ૫.૫૦ના ભાવે અપાયો : તંત્રને ૧૫ાા લાખની આવક થશે : અમીન માર્ગ અને સાધુ વાસવાણીવાળા પ્‍લોટમાં કોઇ ભાવ ન આવ્‍યા

રાજકોટ તા. ૨૩ : આગામી જન્‍માષ્‍ટમી તહેવારોમાં ખાનગી મેળાના આયોજનમાં મ.ન.પા. દ્વારા ત્રણ પ્‍લોટ ભાડે આપવા ટેન્‍ડરો પ્રસિધ્‍ધ કર્યા હતા. જેમાં માત્ર નાના મૌવા સર્કલના પ્‍લોટ માટે ભાવ આવતા તંત્રને ૧૫ાા લાખની આવક થશે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મનપા  હસ્‍તકનાં શહેરમાં નાના મવા સર્કલ- ૯૪૩૮ ચો.મી, સાધુ વાસવાણી રોડ- ૫,૩૮૮, અમીન માર્ગ- ૪,૬૬૯ ચો.મી સહિતનાં વિસ્‍તારમાં આવેલ ત્રણ પ્‍લોટ તા.૧૦ ઓગષ્‍ટથી તા.૮ સપ્‍ટેમ્‍બર સુધી ખાનગી મેળા માટે ભાડે આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા હતા. જેમાં માત્ર નાના મવા સર્કલ પરનાં મેદાનનું ટેન્‍ડર આવ્‍યુ છે. આ ટેન્‍ડરમાં રસ દાખવનારે એક પ્રતિ ચો.મીના રૂા. ૫ની અપસેટ પ્રાઇઝ સામે સાડા પાંચ રૂપિયા ભાવ આપ્‍યા છે.
આમ તંત્રને ૨૭ દિવસનાં રૂા.૧૫ લાખની આવક થશે. જયારે સાધુવાસવાણી રોડ, અમીન માર્ગનાં પ્‍લોટમાં કોઇએ ખાનગી મેળા માટે રસ દાખવ્‍યો નથી.

 

(3:17 pm IST)