Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

''હર ઘર તીરંગા'' પૂર્વ તૈયારી અર્થે ભાજપ કાર્યાલયે સોમવારે બેઠક

રાજકોટ તા. ર૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છ.ેતે અતંર્ગત દેશભરમાં તા.૯ ઓગષ્ટ થી ૧પ ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની સુચના અનુસાર પાર્ટી દ્વારા દેશના તમામ જિલ્લા-મહાનગરોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા તા.રપના સોમવારે સાંજે ૬ કલાકે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવશે.

આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, શહેરના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમા જણાવેલ છે.

(4:29 pm IST)