Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

દ્રૌપદીજી મુર્મૂને રાષ્ટ્રની સેવા માટે બળ મળે અને તેના ફળ રાષ્ટ્રને મળે તે માટે શુભેચ્છા પાઠવતા પૂ. મોરારીબાપુ

રાજકોટ, તા. ર૩ :  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્રૌપદીજી મુર્મૂને સુવિખ્યાત રામાયણ કથાકાર પૂ. મોરારીબાપુએ અભિનંદન પાઠવ્યા છે.

પૂ. મોરારીબાપુએ પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ છે કે દ્રૌપદીજી મુર્મૂ, ભારતના પુત્રી અને પ્રથમ આદિવાસી મહિલા જેઓ ભારતના ૧પ મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

જેથી એક સંત તરીકે મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે અને વ્યકિતગત રીતે પણ ગૌરવ અનુભવી રહ્યો છું.

પૂ. મોરારીબાપુએ વધુમા જણાવ્યુ કે રાષ્ટ્રની વધુમાં વધુ સેવા કરવાનું બળ મળે અને તેના ફળ આખા રાષ્ટ્રને પ્રાપ્ત થાય તે માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરૃ છું.

તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મૂને અભિનંદન પાઠવ્યા હતા.

(3:18 pm IST)