Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

શ્રાવણ માસના ચાર સોમવાર તથા જન્‍માષ્‍ટમીએ કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું

માંસ, મટન, મચ્‍છી અને ચિકનના વેંચાણ કે સગ્રહ ઉપર પણ પ્રતિબંધ

રાજકોટ તા. ર૩: આગામી શ્રાવણ માસના    ચારે   સોમવાર નિમિતે તા. ૧-૮ તા. ૮-૮, તા. ૧પ-૮ તથા તા. રર-૮ ના રોજ અને તા. ૧૯ ને જન્‍માષ્‍ટમી નિમિતે મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેંચાણ કે સ્‍ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મ્‍યુ. કમિ. અમિત અરોરા દ્વારા બહાર પાડવામાં આવ્‍યું છે.
આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

(3:19 pm IST)