Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

જયોતીનગરના કોલેજીયન યુવાન નિસર્ગગીરી ગોસ્વામીનો ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત

ગાર્ડી કોલજમાં બી.એડનો અભ્યાસ કરતો'તોઃ તાલુકા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા.ર૩ : કાલાવડ રોડ પર જ્યોતિનગર ચોક પાસે રહેતો ગાર્ડી કોલેજના છાત્રએ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ન્યારી ડેમમાં એક યુવાનની લાશ તરતી હોવાની કોઇ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી યુવાનને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો બાદ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ ગોહેલ સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરવામાં આવી હતી.

કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ ક્રીપાલસિંહ ઝાલા સહીતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ યુવાનનું નામ નિસર્ગગીરી અલ્પેશગીરી ગોસ્વામી (ઉ.ર૦) મૂળ લીંબડી હાલ કાલાવડ રોડ પર જ્યોતી નગર ચોક પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન ગાર્ડી કોલેજમાં બી.એડનો અભ્યાસ કરતો હતો યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:20 pm IST)