Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

કાલે અગીયારસઃ શ્યામલાલની હવેલીમાં ફુલોના હિંડોળા દર્શન

યમુનાષ્ટકના પાઠ, કિર્તનનું પણ આયોજન

રાજકોટઃ અહિંના સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં શ્રી શ્યામલાલજી પ્રભુ આવતી કાલે એકાદશી (અગિયારસ) તા.૨૪ના રવિવારે ભવ્ય ફુલના હિંડોળામાં બીરાજમાન થશે. હિડોળાના દર્શન સાંજે ૦૬:૧૫ કલાકે તેમજ સાંજે ૦૬ થી ૦૭:૩૦ વાગ્યા સુધી શ્રી યમુનાષ્ટકના પાઠ તથા કીર્તનનું આયોજન કરાયું છે. સમગ્ર વેષ્ણવ સૃષ્ટિને દર્શનનો લાભ લેવા શ્રી જયેશભાઇ હરિદાસભાઇ મુખિયાજી તરફથી નિમંત્રણ અપાયું છે.

સ્થળઃ શ્રી શ્યામલાલજીની હવેલી(જુની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઇન રોડ જય સીયારામ પંડાવાળાની સામે રાજકોટ.મો.૮૫૧૧૭૬૩૭૬૩

(3:21 pm IST)