Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સદર તાજીયા કમીટીની આજે રાત્રે મીટીંગઃ તમામ સંચાલકોએ હાજરી આપવી

રાજકોટઃ સદર તાજીયા કમીટીની મિટીંગ આજરોજ તા.૨૩ને શનિવારે રાત્રીના ૯ કલાકે સદર બજાર, ખાતે મર્હુમ ગનીબાપુના નિવાસ સ્થાને રાખેલ છે.

સદર તાજીયા સંચાલકો પંજા સવારી, સબીલ કમીટી, ન્યાઝ કમીટી, વાએઝ કમીટી, અખાડા કમીટી, દુલદુલ કમીટી તેમજ નાની ડોલી કમીટીના તમામ આયોજકોએ હાજરી આપવી.

બે-વર્ષ બાદ તાજીયા લાઇનદોરીમાં ફરશે, જેમાં તાજીયાના રૃટમાં ઝાડ-પાનની ડાળીઓ, ઇલેકટ્રીક વાયર, તુટી ગયેલ ભુગર્ભ કુંડીઓ તેમજ રસ્તામાં પડેલ ખાડા વિગેરે જે કંઇ નડતરરૃપ હોય તેની સંપૂર્ણ વિગત લેખિતમાં સાથે લાવવા સદર તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી તેમજ ઉપપ્રમુખ પરવેઝભાઇ કુરેશીની સંયુકત યાદીમાં જણાવેલ છે.

(4:28 pm IST)