Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

વિહિપ હિન્‍દુ સમાજની એકતા માટે કાર્યરત : જન્‍માષ્‍ટમી કાર્યાલય ઉદ્ઘાટન

રાજકોટ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના કાર્યાલય ઉદ્‌્‌ઘાટન પ્રસંગે ગોંડલ રોડ સ્‍વામિનારાયણ ગુરૂકુળના શ્રી હરિપ્રિયદાસજી સ્‍વામીએ વિહિપને હિન્‍દુ સમાજની એકતા માટે કાર્ય કરતી સંસ્‍થા ગણાવી આશીર્વાદ આપ્‍યા હતા. મહોત્‍સવ સમિતિના મહામંત્રી નિતેષ કથીરીયાએ પ્રારંભિક પ્રવચન કરેલ. ભાજપના મહામંત્રી કિશોર રાઠોડ, વિહિપના માર્ગદર્શક માવજીભાઇ ડોડિયા, બિહારી ગઢવી, નરેન્‍દ્રભાઇ દવે, શાંતુભાઇ રૂપારેલીયા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરેલ. કાર્યક્રમમાં હસુભાઇ ભગદેવ, જનકભાઇ કોટક, ગુરૂકુળના ગુણવલ્લભ સ્‍વામી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. પરિષદ સાથે સંકળાયેલા નવનીતભાઇ ગોહેલ, હરિભાઇ ડોડિયા, દેવજીભાઇ વાઘેલા, મહાવીરસિંહ જાડેજા વગેરેને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવી હતી. જન્‍માષ્‍ટમીના આગામી દિવસોના કાર્યક્રમો માટે કાર્યાલયનો સંપર્ક સાધવા મંડળોને અપીલ કરાયેલ છે.

(3:38 pm IST)