Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અક્ષરનગરમાં દીવાની જાળ અડી જતા સુનિતાબેન શર્મા દાઝયા : મોત

રાજકોટ, તા. ર૩ : ગાંધીગ્રામના અક્ષરનગરમાં દીવો પ્રગટાવતી વખતે જાળ અડી જતા દાઝી જતા મહિલાનું મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ લાખના બંગલા પાસે અક્ષરનગર શેરી નં.રમાં રહેતા સુનિતાબેન શિવભાઇ શર્મા (ઉ.વ.૩૯) ગઇકાલે પોતાના ઘરે દીવા પ્રગટાવતા હતાં ત્યારે પહેરેલ કપડાને જાળ અડી જતા દાઝી જતા તેને સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક સુનિતાબેન  બે પુત્રી સાથે અક્ષરનગરમાં ભાડે રહેતા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. રાહુલભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:16 pm IST)