Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પૂ.ધીરગુરુદેવ પ્રેરિતવિરાણી બહેરા-મૂંગા શાળામાં નિર્માણ નિયોજક પદે જીતુભાઇ બેનાણીની નિયુકિત

રાજકોટ તા. ર૪ : શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્‍ટના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી ૧પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલના નિર્માણ નિયોજક તરીકે જાણીતા બિલ્‍ડર્સ જીતુભાઇ બેનાણીની નિયુકિત  કરવામાં આવેલ છે. પ્રમુખ રજનીભાઇ બાવીસી, મંત્રી ડો. નરેન્‍દ્ર દવેએ બેનાણીનું સન્‍માન કરી સેવાઓને બિરદાવી હતી.

મધુબેન રમણીકલાલ સંઘવી અને હેમલતાબેન શિવુભાઇ લાઠીયાએ ૧-૧ રૂમ નામકરણનો લાભ લીધેલ છે. વધુ વિગત માટે પ્રશાંત વોરાનો સંપર્ક કરવો.

(2:58 pm IST)