Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સાની પ્રેરણાથી

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગૌ ટેકમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્‍ક છાશ વિતરણ

રાજકોટઃતા.૨૪: રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ - રાજકોટ દ્વારા ઉનાળાનાં ધોમધખતા તાપમાં છેલ્લા દોઢ મહિનાથી કેનાલ રોડ, વિરાણી ચોક, એસ. ટી બસ સ્‍ટેન્‍ડની સામે, રૈયાધાર, ૧૫૦ ફૂટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જ, શાંતિનાથ દેરાસર જેવા સ્‍થળોએ છાશ કેન્‍દ્રો ચાલી રહ્યા છે.

શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્‍ડ પર આજે તા. ૨૪ થી ૨૮ દરમિયાન યોજાનાર ‘ગૌ ટેક - ૨૦૨૩' માં આવનાર દરેક મુલાકાતીઓ માટે વિનામૂલ્‍યે છાશ કેન્‍દ્ર ચલાવવામાં આવશે.

(4:09 pm IST)