Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જયંતિભાઇ પરસાણાની કાલે ૩૭મી લગ્ન વર્ષગાંઠઃ ડાકોરમાં પ્રસાદ મશીન અર્પણ કરાશે

રાજકોટ તા. ર૪: સૌરાષ્‍ટ્રનાં જાણીતા લેન્‍ડ ડેવલોપર્સ સમાજ શ્રેષ્‍ઠી, સદકાર્યમાં સદા અગ્રેસર ગુજરાત અને સૌરાષ્‍ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્‍કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્‍થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા જયંતિભાઇ કેશવભાઇ પરસાણા (પટેલ) (નમન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્રાઇવેટ લીમીટેડ અને રીષી ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્રાઇવેટ લીમીટેડનાં સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઇ પરસાણાની ૩૭મી લગ્ન વર્ષગાંઠ નિમીતે તા. રપ, મે, ગુરૂવારનાં સુપ્રસિધ્‍ધ ડાકોર રણછોડરાયજીનાં મંદિરમાં પ્રસાદ લેવાનું વેન્‍ડીંગ મશીન પરસાણા પરીવાર દ્વારા અર્પણ કરાશે. જયંતીભાઇ કેશવભાઇ પરસાણા (મો. ૯૮ર૪૮ ૬૬૩૧૧) પરીવાર વડીલોના સંસ્‍કારોનું સિંચન કરીને પોતાના પરીવારમાં આવતા દરેક પ્રસંગો જેવા લગ્ન વર્ષગાંઠ, જન્‍મદિન, લગ્નપ્રસંગ, ધાર્મિક પ્રસંગો વિગેરેમાં સમાજ ઉપયોગી સદકાર્ય કરીને અબોલ જીવો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણ વિગેરે જેવા શાષાોમાં બતાવેલ ૧૬ પ્રકારનાં દાન કરી અનેકો સદકાર્યો કરતા રહે છે.

(4:11 pm IST)