Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અરડોઇમાં ધોળકીયા પરિવાર દ્વારા ૩૧ મીએ વિષ્‍ણુ યાગ યજ્ઞ

રાજકોટ તા. ૨૪ : સહસન કોળકીયા પરિવાર દ્વારા કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામે તા. ૩૧ ના વિષ્‍ણુ યાગ યજ્ઞનું આયોજન કરાયુ છે. તા. ૩૦ ના રવિવારે રાત્રે ૯ વાગ્‍યે સંતવાણી રાખેલ છે. જેમાં અનિતાબેન પ્રજાપતિ (અમદાવાદ), મુકેશભાઇ પ્રજાપતિ (ગઢડા), અનિલભાઇ બારોટ (સાવરકુંડલા) સહીતના કલાકારો ભાગ લેશે. તા. ૩૦ ના હેમાદ્રી શ્રવણ દેશશુધ્‍ધિ સાંજે પ વાગ્‍યે શાષાીજી ભાવેશ અદા સુલતાનપુરવાળા કરાવશે. યજ્ઞનું બીડુ તા. ૩૧ ના સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્‍યે હોમાશે. તેમ ધીરૂભાઇ ધોળકીયા (મો.૯૯૭૯૬ ૭૫૦૮૪) અને ભાવિનભાઇ ધોળકીયા (મો.૭૫૬૭૬ ૯૦૩૬૭) ની યાદીમાં જણાવાયુ છે.

(12:13 pm IST)