Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પમાભાઇ રાખૈયા અને અમરસિંહજી રહેવરનું બેભાન હાલતમાં મૃત્‍યુ

દિવાળીના તહેવારમાં જ વડિલ સ્‍વજનોની વિદાયથી લક્ષ્મી સોસાયટી, આલાપ ગ્રીનમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની મ્‍યુ. કોર્પોરેશન અને એગ્રી કલ્‍ચર કચેરીના નિવૃત કર્મચારી-અધિકારી હતાં

રાજકોટ તા. ૨૪: દિવાળીના તહેવારના દિવસે બેભાન હાલતમાં મ્‍યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારી અને એગ્રી કલ્‍ચર વિભાગના નિવૃત અધિકારીના સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ નિપજ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા રોડ લક્ષ્મી સોસાયટી-૮માં રહેતાં પમાભાઇ કાનાભાઇ રાખૈયા (ઉ.વ.૬૭) વહેલી સવારે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. તેઓ મ્‍યુ. કોર્પોરેશનના નિવૃત હેડક્‍લાર્ક હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં રૈયા રોડ આલાપ ગ્રીન સીટી બી-૯૯માં રહેતાં અમરસિંહજી સુરસિંહજી રેહવર (ગુર્જર રાજપૂત) (ઉ.વ.૬૨) વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. તેઓ એગ્રી કલ્‍ચર કચેરીના નિવૃત ઓફિસર હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિવાળીના તહેવારને દિવસે જ આ બનાવથી બંનેના સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:06 pm IST)