Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

જલારામ જયંતિએ આશાપુરા ચોકમાં મહાઆરતી- મહાપ્રસાદ

શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજનઃ સાંજે કાર્યાલયનું ઉદ્‌ઘાટન

રાજકોટઃ શહેરના દિગ્‍વિજય રોડ આશાપુરા ચોક ખાતે શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ શ્રી જલારામ બાપાની જન્‍મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત આજે સાંજે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે.૩૧મીના સોમવારે સાંજે રૂપલબેન રાકેશભાઈ રાજદેવ, મીનાબેન ધર્મેશભાઈ રાચ્‍છ તેમજ લતાવાસી ભાઈ-બહેનોના હસ્‍તે મહાઆરતી કરવામાં આવશે. ત્‍યારબાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે.આયોજનને સફળ બનાવવા શ્રી આશાપુરા યુવક મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે

 

(4:13 pm IST)