Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ખોડીયારનગરના કોલેજીયન યુવાન રોહનપરી ગોસ્વામીનો ફાંસો ખાઇ આપઘાતઃ કારણ અકળ

બે બહેનોના એકના એક ભાઇએ કોલેજથી ઘરે આવ્યા બાદ પગલુ ભરી લેતા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ર૪ : ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતા કોલેજીયન યુવાને કોલેજેથી આવ્યા બાદ રૂમમાં થઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોધવ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ખોડીયારનગર મેઇન રોડ પર રહેતા રોહનપરી ઇશ્વરપરી ગોસ્વામી (ઉ.ર૧) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.બી.રાણા તથા રાઇટર પ્રશાંતસિંહ સહિતે તપાસ હાથ ધરી હતી મૃતક રોહનપરીબે બહેનનો એકનો એકભાઇ હતો તે કોલેજમાં છેલ્લ સેમેસ૭રમાં અભ્યાસ કરતો હતો અને તે પાર્ટટાઇમ નોકરી પણ કરતો હતો પરમ દિવસે તેકોલેજથી ઘરે આવ્યા બાદ પગલુ ભરી લીધું હતું બપોરે નોકરીએ જવાનો સમય થતા તે રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ તેના રૂમમાં

 તપાસ કરતા તે છતના હુકમાં દોરી બાંધી લટકતી હાલતમાં જોવા મળી આવ્યો હતો યુવાને કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. બે બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોકવ્યાપી ગ્યો છે.

(4:01 pm IST)