Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

સરકારનું દરેક વર્ગને સમાવતુ સમતોલ બજેટઃ ઉદય કાનગડ

બજેટને આવકારતા રાજકોટ-૬૮ ના ધારાસભ્‍ય

રાજકોટ તા. ર૪ : આજે નાણામંત્રી કનુભાઇ પટેલે બજેટ રજુ કર્યુ છે, જેમાં ગુજરાતની પ્રજા ઉપર કોઇ નવા કરવેરાનો બોજ આપવામાં નથી આવ્‍યો.

આ બજેટને રાજકોટ-૬૮ ના ધારાસભ્‍ય ઉદય કાનગડે ખેડુત, ગરીબ, દલીત, આદિવાસી સહિત તમામ વર્ગને સમતોલ રાખતુ બજેટ ગણાવ્‍યું છે.તેમણે વધુમાં જણાવેલ કે, બજેટમાં કરવેરામાં કોઇ વધારો ન કરવાની સાથે અમૃત યોજનાને ૧ વર્ષ લંબાવાતા વધુ યોજનાઓ મળશે.

ઉપરાંત શહેરી વિકાસ પાણી પુરવઠામાં અનેક કામો થવાની સાથે રાજકોટમાં નવી ફુડ લેબની જાહેરાત થતા લેવાયેલ નમુનાની ચકાસણી વધુ સરળ બનશેનુ ઉદય કાનગડે અંતમાં જણાવ્‍યું હતું.(

(3:56 pm IST)