Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો પર કાલે ‘મન કી બાત' કાર્યક્રમઃ કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૨૫ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દર માસના અંતિમ રવિવારે નરેન્‍દ્રભાઇ મોદી પોતાના વિચારો શેર કરે છે.

‘મન કી બાત' દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્‍થાપિત કરે છે. ‘મન કી બાત'નું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સુચના અને પ્રસાર મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યુ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્‍ધ હોય છે.

જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો પર આવતીકાલે તા. ૨૬ના રવિવારે સવારે ૧૧ કલાકે ‘મન કી બાત' કાર્યક્રમ યોજાશે. શહેરના તમામ શકિતકેન્‍દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં જોડાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કર્યો છે.

(2:58 pm IST)