Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગઝલ સમ્રાટ તલત મહેમુદની યાદમાં કાલે સંગીતનો કાર્યક્રમ

સાંજે ૫.૪૫ કલાકે ઇવનીંગ પોસ્‍ટ ખાતે આયોજન

રાજકોટ, તા.૨૫: દેશ-વિદેશમાં જાણીતા ગઝલ સમ્રાટ તલત મહેમુદના ૯૯માં જન્‍મદિવસ નિમિત્તે કાલે તા.૨૬ને રવિવારે સાંજે ૫.૪૫ કલાકે ઇવનીંગ પોસ્‍ટ, સીનીયર સીટીજન પાર્ક, જીલ્લા બેંક પાસે રાજકોટ ખાતે ‘સુનહરે નગમે' ગીત-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તો આ કાર્યક્રમને માણવા સંગીતપ્રેમી  જનતાને આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

‘હે સબ સે મધુર વો ગીત જીન્‍હે હમ દર્દ કે સૂરમે ગાતે હૈ, હેઠળના કાર્યક્રમમાં મનસુરઅલી ત્રિવેદી, ઘનશ્‍યામ  રાવલ, રાજેન્‍દ્ર શેઠ, સુનિલ શાહ, રાજેષ પંડયા, હીના કોટડીયા, નીતા ઉપાધ્‍યાય પોતાના કંઠનો જાદુ પાથરશે. આપના સૌની ઉદઘોષિકાની સેવા બજાવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સ્‍ક્રીપ્‍ટ મનસુરઅલી ત્રિવેદી અને સુરેશભાઇ મારૂ તથા રણજીત પઢીયાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

(3:22 pm IST)