Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

શ્રી દશા સોરઠીયા વણિક નુતન યુવક મંડળ દ્વારા કાલે ૫૮મો સરસ્‍વતી પાટોત્‍સવ

સ્‍વ.હેમલકુમાર શ્રીમાંકરના સ્‍મરણાર્થે

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક નૂતન યુવક મંડળ દ્વારા આવતીકાલે તા.૨૬ને રવિવારે સાંજ ૪ વાગ્‍યાથી બાલભવન ખાતે ૫૮માં કેળવણી સમારંભનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે સૌ પ્રથમવાર ઓનલાઈન ગૂગલ લિંક દ્વારા વિદ્યાર્થીઓના ૪૯૮ ફોર્મ ભરાયેલ છે. આ વખતે પણ  વિદ્યાર્થીઓને અન્‍યાય ન થાય  તે માટે ગુજરાતી માધ્‍યમ તથા અંગ્રેજી માધ્‍યમ ના વિદ્યાર્થીઓને  અલગ..અલગ ૧...૨..૩.. નંબર આપી ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનો મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ નીતિન શેઠ (મો.૯૮૨૪૨ ૪૧૮૧૩), ઉપપ્રમુખ હિતેષભાઈ હેમાણી, કમલેશભાઈ મલકાણ, દિપકભાઈ ઝવેરી, સંજયભાઈ વખારીયા, આશીષભાઈ સાંગાણી, કિરીટભાઈ ધ્રુવ, સંજયભાઈ કાટકોરીયા, પરેશભાઈ ધોળકીયા, મનોજભાઈ મલકાણ, ચંદ્રેશેખર ધ્રુવ, સુરેશભાઈ ગગલાણી, રમેશભાઈ કોઠારી, સંજય ધોળકીયા, હાર્દિકભા ગોરસીયા, હિરેનભાઈ માધાણી, જયેશ મલકાણા અને જતીન માધાણી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)