Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વિવાદગ્રસ્‍ત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ૨૮મીએ સીન્‍ડીકેટ : કલાધર આર્ય સામેના પગલા રજૂ થશે

રાજકોટ, તા. ૨૫ : વિવાદગ્રસ્‍ત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ અને સંઘ પરિવારના અગ્રણીઓ વચ્‍ચે ભારે ખેંચતાણ ચાલે છે. કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીએ અનેક વિવાદાસ્‍પદ નિર્ણયો કર્યા છે. આ સંજોગોમાં ૨૮મીએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની સીન્‍ડીકેટની બેઠક મળનાર છે.  સીન્‍ડીકેટની બેઠકમાં અગાઉના બીયુટી એકેડેમીક કાઉન્‍સીલના ઠરાવો તેમજ એકેડેમીક સ્‍ટાફ કોલેજના ડાયરેકટર કલાધર આર્યને સસ્‍પેન્‍ડ કરવાના નિર્ણય અને આગામી સમયમાં લેનારા પગલા વિશે ચર્ચા થનાર હોવાનું જાણવા મળે છે.

(4:14 pm IST)