Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

આ વળી નવું...શ્રીઅલખધણી ટ્રસ્‍ટના નામે ખોટી પહોંચ બનાવી રૂા. ૨૧ની છેતરપીંડી!

મવડી પ્‍લોટ ઉદયનગરમાં રહેતાં ટ્રસ્‍ટના પ્રમુખ જયેશ વ્‍યાસે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવતાં તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરમાં છેતરીપીંડીનો એક નવતર બનાવ સામે આવ્‍યો છે. રૂા. ૨૧ની છેતરપીંડી કરવામાં આવ્‍યાની ફરિયાદ થઇ છે. નવલનગર પાસે ઉદયનગર-૨માં રહેતાં અને સંસ્‍કાર હાઇટ્‍સ સામે શ્રી અલખધણી ચેરીટેબલ ટ્રસ્‍ટ ચલાવતાં અને તેમાં પ્રમુખ તરીકે સેવા બજાવતાં જયેશભાઇ કિશોરચંદ્ર વ્‍યાસ (ઉ.૩૫)ની ફરિયાદ પરથી અજાણીસ્ત્રી સામે ઠગાઇનો ગુનો માલવીયાનગર પોલીસમાં નોંધાયો છે.

જયેશભાઇ વ્‍યાસનું ટ્રસ્‍ટ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓને ભોજન આપે છે. ૯/૩ના રોજ જયેશભાઇએ એક વ્‍યક્‍તિનો ફોન આવ્‍યો હતો અને તેણે પોતે શિવશક્‍તિ ડેરી સામે અલ્‍કા પાનમાંથી મગનભાઇ બોલે છે તેમ કહી એક બહેન તમારા ટ્રસ્‍ટના નામે ફાળો લેવા આવ્‍યા હતાં. પરંતુ મેં ના પાડી હતી. આથી જયેશભાઇ એ બહેનને ત્‍યાં જ ઉભા રાખવાનું કહીને ત્‍યાં ગયા હતાં. પરંતુ ત્‍યારે મહિલા જતી રહી હતી. તપાસ કરતાં એ મહિલા ટ્રસ્‍ટના નામે રૂા. ૨૧ રામભરોસે મળેલ છે તેવી પહોંચ આપી ગઇ હતી. આ પહોંચ જયેશભાઇના ટ્રસ્‍ટની ન હોઇ કોઇ ડુપ્‍લીકેટ પહોંચ બનાવી ફાળો ઉઘરાવતું હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવતાં માલવીાયનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:58 pm IST)