Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રામકૃષ્‍ણનગર-૧માં તસ્‍કરોનો ત્રાસ : બે દિ'માં બે ઘરમાં ઘુસ્‍યા : તોડફોડ કરી લોકોમાં ગભરાટ

પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ માટે માંગણી : પાનની દુકાને સાંજે લુખ્‍ખાઓ પણ બેફામ

રાજકોટ, તા. રપ :  શહેરના પોશ વિસ્‍તાર યાજ્ઞિક રોડ-રામકૃષ્‍ણ આશ્રમની બાજુમાં આવેલી -૧-રામકૃષ્‍ણનગરમાં છેલ્લા ૩ થી ૪ દિવસથી તસ્‍કરો બેફામ બન્‍યાનું અને બે બંધ ઘરમાં બે દિ'માં ઘુસી જઇ મકાનોના તાળા તોડી ભારે તોડફોડ કર્યાનું બહાર આવ્‍યું છે.

વિગતો મુજબ રામકૃષ્‍ણનગર-૧માં અપ્‍સરાની બાજુમાં આવેલ એક બંધ મકાનમાં નકુચાના તોડી દરવાજા તોડી તસ્‍કરોએ ભારે તોડફોડ કર્યાનું બહાર આવ્‍યું છે, એટલું જ નહી એક મકાનનો લોખંડનો દરવાજો ઉપાડી ગયાનું કહેવાય છ.ે બીજા મકાનમાં ઘરની અંદર ઘુસી ભારે તોડફોડ કર્યાનું બહાર આવ્‍યું છે આ ૧ નંબરમાં તમામ આગેવાનો  રહે છે, લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે પોલીસ દ્વારા સખ્‍ત નાઇટ પેટ્રોલીંગ કરાય તે જરૂરી છે બંને ઘર અંગે પોલીસ  ફરીયાદ થઇ છે કેમ બહાર આવ્‍યું નથી. આ ઉપરાંત વિદ્યાનગર મેઇન રોડ ઉપર અમુક પાનની દુકાને સાંજે લુખ્‍ખાઓ પડયા પાથર્યા રહેતા હોવાની પણ વેપારીઓની લતાવાસીઓની બુમો ઉઠી છ.ે

(4:33 pm IST)