Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

બેભાન હાલતમાં લખન પરમાર અને રાજેશ વાઘાણીના મોત

નાગેશ્વર અને બેડીના યુવાનોએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ બંનેના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે પટેલ ચોકના શ્‍યામલ એપાર્ટમેન્‍ટમાં રહેતો લખનભાઇ હરેશભાઇ પરમાર (ઉ.વ.૩૦) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર છે. પોતે છુટક મજૂરી કરતો હતો. તેને કેન્‍સરની બિમારી હોવાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં બેડી ગામે રહેતો રાજેશભાઇ લાલજીભાઇ વાઘાણી (ઉ.વ.૩૭) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. રાજેશભાઇ ત્રણ ભાઇમાં મોટો હતો અને સિમેન્‍ટની ગાડીમાં મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. લાંબા સમયથી રાજેશભાઇને દારૂ પીવાની ટેવ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્‍યુ઼ હતું. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ સહિતે ગાંધીગ્રામ અને કુવાડવા પોલીસને જાણ કરી હતી. 

(3:14 pm IST)