Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગાંધીગ્રામ એસ.કે.ચોકમાં મુકેશભાઇ પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત

પત્ની સાથે બોલાચાલી થયા બાદ પગલુ ભર્યાનું ખુલ્યું : બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૨૬: ગાંધીગ્રામ એસ.કે.ચોકમાં રહેતા યુવાને ગળાફાસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ એસ.કે. ચોકમાં રહેતા મુકેશભાઇ રમેશભાઇ પરમાર (ઉવ.૩૮) એ પોતાના ઘરે દુપટ્ટો પંખા સાથે બાંધ ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની બે બાળકો સાથે જેઠના ઘરે ગયા હતા. તે પરત ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોઇઅ દેકારો બોલવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા મુકેશભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ પી.એચ.બુટાણી તથા રાઇટર મહેશભાઇ કછોટે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને આ પગલું ભર્યા હોવાનું તેના પરિવારજનો જણાવ્યું છે.  મૃતક મોચી કામ કરતા હતા. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.

(3:24 pm IST)