Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અકિલા પરિવારના અશ્વિનભાઈ રાણપરાના સુપુત્રના ૩૧ જાન્‍યુઆરીએ શુભલગ્ન : ચિ.નિરવ : ચિ.દિવ્‍યા

રાજકોટ : કુળદેવીશ્રી  ભદ્રકાળી માતાજી તથા  મહાકાળી માતાજી તેમજ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી રાજકોટ નિવાસી અકિલા પરિવારના અશ્વિનભાઈ રાણપરાના આંગણે ઢોલ ધ્રબૂકયા છે. અ.સૌ. રંજનબેન તથા અશ્વિનભાઈ રાણપરાના સુપુત્ર ચિ. નિરવના  શુભલગ્નઃ મોરબી નિવાસી અલ્‍કાબેન તથા શ્રી ગુણવંતભાઈ માંડલિયાની સુપુત્રી ચિ.દિવ્‍યા સાથે તા.૩૧-૦૧-૨૦૨૩ના રોજ મંગળવારે નિરધાર્યાં છે.

આ શુભલગ્ન પ્રસંગે ૩૦ જાન્‍યુઆરીના રોજ સોમવારે સવારે મંડપ મુહૂર્ત તેમજ બપોરે એક વાગ્‍યે ભોજન સમારંભ શ્રી ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજની વાડી, યુનિટ નં -૧. કોઠારીયાનાકા, સોની બજાર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.  આ શુભ પ્રસંગે આમંત્રિત મહેમાનો. સગા વ્‍હાલા સ્‍નેહી મિત્રો પરીવાર ઉપસ્‍થિત રહી શોભામાં અભિવળદ્ધિ કરશે. પરિવારમાં પ્રસંગનો આનંદ માણવા ભારે ઉત્‍સાહ પ્રવર્તે છે.

(4:14 pm IST)