Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સોરઠીયા શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ સોશ્‍યલ ગ્રુપ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિ રકતદાન કેમ્‍પ

પૂ.સંત શ્રીમુંડીયા સ્‍વામીજીના નિર્માણ દિન નિમિતે

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીય સોશ્‍યલ ગ્રુપ, રાજકોટ દ્વારા સૌપ્રથમ પ.પુ.સંત શ્રી મુંડીયા સ્‍વામીજીના નિર્વાણ દિન નિમિતે સર્વજ્ઞાતિ રકતદાન કેમ્‍પનું આયોજન તા.૨૯ રવિવારે આલ્‍ફાકેર મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, કોઠારીયા મેઇનરોડ(ડો.જૈમનભાઇ ઉપાધ્‍યાયના દવાખાને) સવારે ૯થી બપોરે ૧ સુધી કરાયુ છે. જેમાં તમામ જ્ઞાતિના લોકો રકતદાન કરશે. આ રકતદાન શિબિરમાં ડોકટર્સની ટીમ સાથે વોલન્‍ટરી બેંકનો તથા આલ્‍ફાકેર હોસ્‍પિટલનો સ્‍ટાફ પોતાની સેવા આપશે.

આ કેમ્‍પમાં અંદાજીત ૧૦૦થી વધુ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ છે. આયોજનમાં શ્રી ગૌડ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઇ દવે (મો. ૯૪૨૭૭ ૨૬૫૬૪) જીતુભાઇ જોશી, દિપકભાઇ ભટ્ટ,  હિમાંશુભાઇ ભટ્ટ, ભાવેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાધ્‍યાય જહેમત ઉઠાવી રહયા છે તેમ અખબારી યાદીમાં જણાવ્‍યુ છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:21 pm IST)