Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મનપાના ધ્‍વજવંદનમાં નગરસેવકોની પાંખી હાજરી

રાજકોટ : તા. ૨૭ : મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વે મધ્‍યસ્‍થ ઝોન કચેરી ખાતે મેયર ડો.પ્રદીપ ડવના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કુલ ૭૦માંથી ૩૭ કોર્પોરેટરો જ ઉપસ્‍થિત રહેતા કોર્પોરેશનની લોબીમાં ચર્ચાનો અડીંગો જામ્‍યો છે.

રાષ્‍ટ્રીય પર્વ અંતર્ગત સામાન્‍ય નાગરીક પણ ધ્‍વજવંદનમાં સામેલ થવા ઉત્‍સુક હોય છે, ત્‍યારે પ્રજાએ ચૂંટેલા ૩૩ નગરસેવકોમાં ઉત્‍સાહ ન દેખાતા અનેકવિધ વાતો વહેતી થઇ રહી છે.

(3:59 pm IST)