Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સીતારામનગરમાં બીમારીના કારણે વિનોદભાઇ સોલંકીનું મોત

રાજકોટ તા. ૨૭ : ભાવનગર રોડ પર રાજમોતી મીલ સીતારામનગરમાં રહેતા યુવાનનું બીમારીના કારણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ સીતારામનગરમાં રાજમોતી મીલવાળી શેરીમાં રહેતા વિનોદભાઇ રતીલાલભાઇ સોલંકી (.૪૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે અચાનક બેભાન થઇ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બેભાન થયા બાદ યુવાનનું મોત

પોપટપરા મેઇન રોડ પર રામજી મંદિર પાસે રહેતા ધીરૂભાઇ નાનજીભાઇ ડાભી (.૪૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બીમારીના કારણે જયેશભાઇનું મોત

ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં. ૩માં રહેતા જયેશભાઇ ઉમીયાશંકરભાઇ દવે (.૪૪) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યાં બીમારીના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી

(4:08 pm IST)