Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કારને ટ્રકે ઠોકરે લેતાં રતનપર-ગોંડલના ૭ને ઇજાઃ ચરાડવા દર્શન કરીને પરત આવતાં હતાં

મોરબી રોડ હડાળાના પાટીયે સાંજે અકસ્માત સર્જાયો

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે શિવશકિત હોટેલ નજીક ટ્રકે કારને ઠોકરે ચડાવતાં મોરબી રોડ રતનપર અને ગોંડલના નવાગામ રામપરના પરિવારના સાત લોકોને ઇજા થઇ હતી. ચરાડવા માતાજીના દર્શન કરીને આ પરિવારજનો પરત આવી રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગો૦ડલના નવાગામ રામપર રહેતાં નૈમિષભાઇ મોહનભાઇ બાબરીયા (ઉ.વ.૩૫) પોતાની અલ્ટો કારમાં પત્નિ અંજનાબેન (ઉ.૩૨), પુત્રી ઉર્વા (ઉ.૧૧), ધૈર્ય (ઉ.૮) તથા તેમજ રાજકોટના રતનપરમાં રહતાં સાળી વંદના કનૈયાલાલ સોલંકી (ઉ.૨૬) અને સસરા કનૈયાલાલ ત્રિકમભાઇ સોલંકી (ઉ.વ.૬૧)ને બેસાડી ચરાડવા ગામે માતાજીના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી ગત સાંજે પરત આવતી વખતે મોરબી રોડ હડાળાના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ટ્રકે કારને ઠોકરે ચડાવતાં તમામને નાની મોટી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી

(12:36 pm IST)