Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પૂ. વિનમ્રમુનિ મ.સા. આદિ ૩ સંતોનું મહાવીરનગર સંઘમાં આયંબિલની ઓળી અર્થે પદાર્પણ

રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્‍યરત્‍ન : સવારે ધ્‍યાનના પ્રયોગ, પ્રવચન : બપોરે આયંબિલનું આયોજન

રાજકોટ, તા.૨૭: આયંબિલ શરીરની સ્‍વસ્‍થતા, મનની પ્રસન્નતા અને આત્‍મા ભાવોને પવિત્ર બનાવવાની વિશિષ્ટ ભોજન શૈલી ને રાજકોટ નગરીના લોકો અનુભવે તેવી ભાવના સાથે મહાવીરનગર સ્‍થાનકવાસી જૈન સંઘ માં આવતીકાલ તારીખ ૨૮ માર્ચ થી ૫ એપ્રિલ સુધી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિના શિષ્‍ય પરમ વિનમ્રમુનિ આદિ ૩ સંતોના સાનિધ્‍યમાંᅠ શાશ્વત આયંબિલની ઓળીની આરાધના યોજાશે.આયંબિલ તપ દરેક કરી શકે અને બીજાને કરાવી શકે તે માટે યોજાઈ છે એક અનોખી આયંબિલ સ્‍પર્ધા.

આયંબિલ ઓળી ના કાર્યક્રમો માં દરરોજ સવારે ૭:૩૦ - ૮:૩૦ ધ્‍યાનનાᅠ પ્રયોગો અને સવારે ૯:૩૦ -૧૦:૩૦ᅠ ના Busy Life માં ધર્મને easyᅠ બનાવી શકાય તેવા વિષય પરᅠ થશે સરળ શૈલીમાં પ્રવચન.

આયંબિલ કરવાનો સમય બપોરે ૧૧.૩૦ થી ૨.૩૦ નો રહેશે જેના પાસ એક દિવસ પેહલા લેવાના રહેશે. સ્‍પર્ધા વિષે જાણવા અને પાસ લેવા માટે ૨૪૩૩૧૮૩, ૯૩૭૪૧૦૧૦૨૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:35 pm IST)