Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જસદણના ઝુંડાળા ખાતે બુધવારે સમસ્‍ત કિયાડા પરિવારના કુળદેવીનો પંચકુંડી મહાયજ્ઞ મહોત્‍સવ

નવા ભવનનું લોકાર્પણ, મહાપ્રસાદનું પણ આયોજન

 

રાજકોટઃ સમસ્‍ત કિયાડા પરિવાર,  ઝુંડાળા, તા.જસદણ ખાતે કયાડા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા બહુચરાજી માતાજી તથા સુરાપુરાદાદાના પાવન સાનિધ્‍યમાં પંચકુંડી મહાયજ્ઞ મહોત્‍સવનું આયોજન તા.૨૯ના બુધવારના શુભ દિવસે નિર્ધારેલ છે. બુધવારે સવારે ૭:૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે. આ સાથે દાતાઓના સહયોગથી નિર્માણ પામેલ ભવનનું સવારે ૯ કલાકે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે. સવારે ૧૧:૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદ રાખેલ છે.

આ પાવન અવસર પર હસમુખભાઈ બી.કયાડા (તીર્થન ફાયર ક્રેકર- ફટાકડાવાળા) મો.૯૮૨૫૧ ૮૩૫૮૭, શૈલેષભાઈ બી. કયાડા, હિતેશભાઈ આર. કયાડા, પૂજારી ગોગનભાઈ આર. કયાડા, હિંમતભાઈ કયાડા તથા ઉત્‍સવ ગ્રુપ- કેનાલ રોડ, રાજકોટ સમસ્‍ત કયાડા પરિવારવતી કયાડા પરિવારને જાહેર આમંત્રણ અપાયું છે.

 

 

 

(3:59 pm IST)