Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ચૈત્રી નવરાત્રી નિમિત્તે મોમાઇ મંદિર-કટારીયા (કચ્‍છ) ખાતે તા. ર૯ મી ના હવન-પ્રસાદ

કાંયાણી જાડેજા પરિવારોને કુળદેવી મા ના હોમ-હવનનો લાભ લેવાનો મોકો

રાજકોટ, તા. ર૭ :  કાંયાણી જાડેજા પરિવારના કુળદેવી શ્રી મોમાઇ માતાજી- કટારીયા (કચ્‍છ) ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે  ચૈત્ર સુદ આઠમને બુધવારે તા. ર૯ મી ના હવન નું આયોજન કરવામાં આવેલું છે. મોમાઇ માતાજી મંદિર જુના કટારીયા, તા. ભચાઉ જિ. કચ્‍છ ના ટ્રસ્‍ટીઓની યાદીમાં જણાવાયું છે કે સવારે ૯ કલાકે હવનનો પ્રારંભ થશે અને બપોરે ૧ર કલાકે બીડુ હોમાશે. હવનમાં જાડેજા જશવંતસિંહ  કુંભાજી (ખેવારીયા),  જાડેજા મયુરસિંહ જશવંતસિંહ  પરિવાર બિરાજશે. હવન બાદ પ્રસાદીની વ્‍યવસ્‍થા જાડેજા પરિવાર (ખેવારીયા) દ્વારા કરવામાં આવી છે. આ ધાર્મિક પ્રસંગનો સમસ્‍ત કાંયાણી જાડેજા પરિવારો અને ધર્મ પ્રેમી લોકો લાભ લે તેવી અપીલ ટ્રસ્‍ટી મંડળ દ્વારા કરવામાં આવી છે.

(4:29 pm IST)