Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

૯૫ વર્ષની ઉંમરે કોરોનાને હંફાવતા સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણી

રાજકોટ : આરઝી હકુમત (જુનાગઢ) ના સેનાની ગણાતા અને ૩ રાષ્ટ્રપતિથી લઇ પ્રધાનમંત્રી દ્વારા સન્માનીત થયેલા રાજકોટ જીલ્લાના એક માત્ર હયાત એવા ૯૫ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણી તાજેતરમાં કોરોના સંક્રમિત થયા હતા. રાજકોટ પ્રશાસનને જાણ થતા તુરંત વિશેષ કાળજી લઇ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી. વીમા કામદાર હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી. એમ તો વેકસીનનો પ્રથમ ડોઝ પણ મનુભાઇ લઇ ચુકયા છે. હાલ ડો. અજમેરીની ઘનીષ્ઠ સારવારથી તેઓ સ્વસ્થ હોવાનું તેમના પુત્ર અશ્વિનભાઇ વિઠ્ઠલાણી (મો.૯૯૧૩૬ ૦૨૭૬૩) એ એક યાદીમાં જણાવેલ છે.

(4:40 pm IST)