Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાલે આટકોટના સમારોહમાં રાજકોટથી હજારોની મેદની જોડાશેઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ર૭ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. ર૮ ના ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે આટકોટ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરા, પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ સંચાલિત કે. કે. પરવાડીયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીસ્‍ટી હોસ્‍પિટલનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાનાર હોય રાજકોટ મહાનગર ખાતેથી હજારોની મેદની નરેન્‍દ્રભાઇ મોદીને  આવકારવા થનગની રહી છે.

રાજકોટ મહાનગરમાંથી ર૦ હજારથી વધુ જનમેદની આટકોટ ખાતે મોદીજીનું અભિવાદન કરવા ઉમટી પડશે અને રાજકોટમાંથી વહેલી સવારથી જ વિશાળ સંખ્‍યામાં માનવ મહેરામણ બસો, ફોર વ્‍હીલરો મારફત આટકોટ તરફ રવાના થશે. જનસમુદાયમાં આરોગ્‍ય મંદિરના લોકાર્પણ પ્રસંગે ઉત્‍સાહ અને ઉમંગની લાગણી પ્રવર્તતી રહી છે.

આટકોટ ખાતે વિશાળ સંખ્‍યામાં જનમેદની નરેન્‍દ્રભાઇ મોદીને અનેરા ઉત્‍સાહથી  આવકારી અભિવાનદ કરશે. તેમ કમલેશ મિરાણીની યાદીમાં જણાવેલ છે.

(4:21 pm IST)