Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજકોટમાંથી ૨૦ હજારથી વધુ જનમેદની આટકોટ પહોંચશે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે આટકોટ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા- શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી કે.કે. પરવાડિયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીસ્‍ટી હોસ્‍પિટલનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાનાર હોય રાજકોટ મહાનગર ખાતેથી નરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્‍યારે રાજકોટ શહેરમાંથી ૨૦ હજારથી વધુ જનમેદની આટકોટ ખાતે મોદીજીનું અભિવાદન કરવા ઉમટી પડશે. ભાજપ કાર્યાલય ખાતેથી બસ વ્‍યવસ્‍થા તેમજ અન્‍ય તૈયારીઓ ચાલી રહી હોય શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડાએ જરૂરી માર્ગદર્શન- દિશાસૂચન પુરૂ પાડેલ હતું. આ તકે કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, નિતીન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(4:22 pm IST)