Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મીઠાપુર આશ્રમના મહંત સ્વામીનારેન્દ્રશ્રમ મહારાજનું રાજકોટના ગેસ્ટ હાઉસમાં મૃત્યુ

મહંત પરમ દિવસે રાજકોટ આવ્યા'તાઃ હાર્ટએટકથી મૃત્યુ નિપજયું હોવાનું ખુલ્યુ

રાજકોટ તા. ર૭ : મીઠાપુર હીરણનદીના કાંઠે આવેલા આશ્રમના મહંતનું રાજકોટના ગેસ્ટ હાઉસમાં હાર્ટએટેકથી મૃત્યુ નિપજયું હતું.

મળતી વિગત મુજબ મીઠાપુર હિરણનીના કાંઠે આવેલા આશ્રમમાં રહેતા મહંત સ્વામી નારેન્દ્રશ્રમ મહારાજ (ઉ.૭૦) પરમ દિવસે રાજકોટ આવ્યા હતા અને એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા જીલ ગેસ્ટ હાઉસના રૂમ નં .૬માં રોકાયા હતા. આજે વહેલી સવારે ગેસ્ટહાઉસના મેનેજર તેને ઉઠાડવા માટે રૂમના દરવાજો ખખડાવતા તેણે દરવાજો ન ખોલતા દરવાજાની બાજુમાં બારીમાંથી  જતા મહંત પલંગ પર સૂતેલા જોવા મળતા મેનેજરે તેને ઉઠાડવા માટે બુમો પાડતા છતા તે ન ઉઠતા તેણે એ ડીવીઝન પોલીસ મથકે પહોંચી જાણ કરતા હેડ કોન્સ મુકેશભાઇ ચરમટા તથા રાઇટર દેવાંગભાઇએ સ્થળ પર પહોંચી ગયા હતા અને જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા મહંતનું મૃત્યુ નિપજયું હોવાનું જણાવ્યું હતું આ અંગે એડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)