Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શિવાજી પાર્કના વૃધ્‍ધા અને ધરમનગરના યુવાનના બેભાન હાલતમાં મોત નિપજ્‍યા

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર ીશવાજી પાર્ક સમિતી એપાર્ટમેન્‍ટમાં રહેતાં શશીકલાદેવી ભાગવત શર્મા (ઉ.વ.૭૦) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બિમારીથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં ગાીંધગ્રામ ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટર બી-૨૩/૬૭૭માં રહેતાં ભાવીનભાઇ જીવનદાસ રાજ્‍યગુરૂ (ઉ.વ.૪૨)ને કેન્‍સરની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, સોનલબેન ચાવડાએ ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(5:04 pm IST)