Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત કરો : રાષ્ટ્રપતિને કરી રજુઆત

શહિદ ભગતસિંહને ભારતરત્ન એવોર્ડ આપવા અંગે ભરતસિંહ ક્રાંતિ દલના કાર્યકરોએ આવેદન આપ્યું તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૮ :  ભગતસિંહ ક્રાંતિ દલના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં ઉમેર્યુ હતું કે આપશ્રી ને ગત ર૩ માર્ચ ર૦ર૦ના રોજ રન ફોર ભગતસિંહ અભિયાન હેઠળ ભગતસિંહ ક્રાંતિ દળનાં પચીસ યુવાનોએ સોમનાથ થી દિલ્હી સુધીની રર૦૦ કિલોમીટર ની સાઇકલ યાત્રા કરી એક લાખ જેટલા નાગરિકોની સહી સાથે વીર સપૂણ શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને માનભેર શહિદનો દરજજો પ્રાપ્ત થાય તથા તેઓ ભારત રત્ન એવોર્ડથી સન્માનીત થાય તેવુ઼ આવેદન રાષ્ટ્રપતિ ભવનમાં આપ્યું હતું. આ આવેદનની તમામ માંગ તાત્કાલીક પૂર્ણ થાય તે માટે આજે ફરીથી અમો આપશ્રીને નમ્ર નિવેદન કરીએ છીએ. જયાં સુધી શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને ભારત રત્ન એવોર્ડ નહિ મળે ત્યાં સુધી અમારૂ અભિયાન ચાલુ રહેશે. 

(3:30 pm IST)