Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મસ્જિદોમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે નમાઝની મંજુરી આપો

પોતપોતાની જગ્યામાં કુરબાની કરવા દયો : હબીબ કટારીયા

રાજકોટ, તા. ર૯:  કોરોના મહામારી વચ્ચે શનિવારે આવનારી ઇદના અનુસંધાને ઇદની  નમાઝ ઇદ ગાહમાં જાહેરમાં નહીં પઢવા પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવાનું હબીબભાઇ ગનીબાપુ કટારીયા (પ્રમુખ સદર ખુરેશ જમાત) એ જણાવી એક નિવેદનમાં જણાવ્યું છે કે એ બાબત મંજુર છે પણ, મસ્જીદોમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે નમાઝ પઢવાની મંજુરી મળવી જોઇએ.

એ ઉપરાંત જાહેરમાં કોઇ કુરબાની કરતા નથી ત્યારે પોતપોતાની જગ્યામાં કુરબાની કરવાની મંજુરી આપવા પણ માંગણી છે.

(2:49 pm IST)