Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પત્રકારની હત્યા મામલે વિરોધ પ્રદર્શન - આવેદન

યુ.પી.ના પત્રકાર વિક્રમ જોશી તેમજ એમ.પી.ના પત્રકાર સુનિલ તિવારીની હત્યાના ઘેરા પડઘા દેશભરમાં પડયા છે. નેશનલ યુનિયન ઓફ જર્નાલીસ્ટ અને દિલ્હી જર્નાલીસ્ટ એસોસીએશન દ્વારા સરકારને જાગૃત કરવા દિલ્હી પ્રેસ કાઉન્સીલથી લઇ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી વિરોધ માર્ચ સાથે આવેદન આપવામાં આવેલ. આવા હુમલાઓ થતા અટકાવવા પત્રકાર સુરક્ષા કાનુન તેમજ રાષ્ટ્રીય પત્રકાર રજીસ્ટર બનાવવાની માંગણી ઉઠાવવામાં આવી છે. એન.જે.યુ.આઇ. દ્વારા દરેક શહેરના કલેકટરને આવેદન આપી સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યાનું ભાવેશ આચાર્ય (મો.૯૪૨૭૨ ૧૪૭૭૨) ની યાદીમાં જણાવાયુ છે.

(2:50 pm IST)