Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આજી ડેમ ચોકડીએ પુલની દિવાલનું કામ અધ્ધરતાલઃ રજુઆત

તાકિદે કામગીરી પૂર્ણ કરવા કોંગી કોર્પોરેટર નિર્મળ મારૂની માંગ

રાજકોટ,તા.૨૯: શહેરનાં આજીડેમ ચોકડી પુલની દિવાલનું કામ તાકિદે પૂર્ણ કરવા કોંગી કોર્પોરેટર નિર્મળ મારૂ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે નિર્મળ મારૂએ એક યાદીમાં જણાવ્યું હતુ કે, આજથી આશરે બે માસ પૂર્વે આજીડેમ ચોકડીની એક દિવાલ પડી ગયેલ હતી અને બે નવ યુવાનના મૃત્યુ પણ થયેલ હતા. જે દીવાલનું કામ કરવા માટે હાઇ-વે ઓથોરીટી તેમજ કોર્પોરેશન બંને થાપલી દા રમી રહ્યા આક્ષેપ કર્યો છે.

જેના કારણે અમદાવાદ પોરબંદર નેશનલ હાઇ-વે બંધ કરી સર્વિસ રોડ ઉપર ચાલવું પડે છે. ત્યાં એટલો બધો ટ્રાફીક સમસ્યા સર્જાય છે.આથી  આ કામ તાકિદે પૂર્ણ કરવા માંગ કરી છે.

(4:16 pm IST)