Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નાથદ્વારા-નારાયણ સરોવર-કૃષ્ણનગર સહીતની પાંચ એસ.ટી.બસ કાલથી બંધ

ઓછા ટ્રાફિકથી એસ.ટી.ને ર લાખનું નુકશાનઃ રૂટમાં ફેરફાર : જામજોધપુર-કાલાવડ-જામનગર-ઉપલેટાની એસ.ટી.બસ કાલથી ચાલુ કરાશે

રાજકોટ તા. ર૯ : કોરોનાકાળમાં એસ.ટી.તંત્રને કેટલાક રૂટમાં લાખોની નુકશાની થતી હોઇ આવા ઓછા ટ્રાફિકવાળા પ જેટલા રૂટમાં બસ બંધ કરવા રાજકોટ એસ.ટી.ડેપોએ નિર્ણય લીધો છે. જયારે  ૩ જેટલા રૂટમાં બસ ચાલુ કરવા નિર્ણય લેવાયો છે.

આ અંગે રાજકોટ એસ.ટી.ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું કે આવતી કાલથી નાથદ્વારા, નારાયણ સરોવર, કૃષ્ણનગર, અને જીવાપર ત્થા સરપદળ જતી બસો બંધ કરાઇ છે.

જયારે પંચાયતનગરથી જામજોધપુર, કાલાવડ, જામનગર અને ઉપલેટા, કાલાવડની બસો આવતીકાલથી ચાલુ થશે. તેમ ડેપો મેનેજરે જાહેર કર્યુ હતું.

(4:17 pm IST)