Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજકોટ નાગરિક બેંક દ્વારા કોઠારીયા શાખામાં આત્મ નિર્ભર યોજનાના લાભાર્થીઓને ચેક એનાયત

રાજકોટ : કોરોના સંકટ ધ્યાને લઇ નાના માણસોને આર્થીક મદદ મળે તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આર્થિક પેકેજ જાહેર કરતા આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને  રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા તાજેતરમાં ચેક એનાયત કરવામાં આવ્યા હતા. બેંકની કોઠારીયા રોડ શાખા ખાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે ૧૦-૧૦ લાભાર્થીઓને ચેક અપાયા હતા. આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવેલ કે નાના માણસોની મોટી બેંકની ઓળખ નાગરીક બેંક જાળવી રાખી છે. આ યોજનામાં પણ બેંકના ચેરમેન નલિનભાઇ વસાના માર્ગદર્શન હેઠળ વધુ ને વધુ લોકોને લાભ મળે તેવા પ્રયાસો થયા છે. આ ચેક વિતરણ સમયે ડીરેકટર કીર્તીદાબેન જાદવ, શાખા વિકાસ સમિતિમાંથી કલ્પેશભાઇ ગજજર (કન્વીનર), સરોજબેન રૂપાપરા (સહ કન્વીનર), ડો. એન. જે. મેઘાણી, પ્રશાંતભાઇ જોશી, હરેશભાઇ રાયચુરા, જયેશભાઇ ચાવડા, પ્રશાંતભાઇ વાણી (રૈયા રોડ), ગૌરવભાઇ વજાણી (ડીસીએમ), નિરજભાઇ વૈઠા (મેનેજર) અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)