Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સબ કે નાથ જય રામનાથ....

રામનાથ મંદિરે દર્શન અવિરત ચાલુ

સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થાય છે : ખોટી અફવા ન ફેલાવવા અપીલ

રાજકોટ : શહેરનું સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મંદિર દર્શન માટે ચાલુ જ છે. તેમ રામનાથ મંદિરના પૂજારી, ભકતગણોએ જણાવેલ.

નીજ મંદિરે વ્હેલી સવારે ૫ વાગ્યાથી ભાવિકો દર્શનનો અવિરતપણે લાભ લ્યે છે. સવાર સાંજ આરતી નિયમીત થાય છે. રાત્રીના ૮:૩૦ વાગ્યે દર્શન સમાપ્ત થાય છે. હાલમાં કોરોનાની મહામારીના પગલે મંદિરના દર્શનમાં થોડો ફેરફાર કરાયો છે. મંદિરમાં કોઈ પણ જાતના દરવાજા નથી. ભાવિકો કોઈપણ સમયે દર્શનનો લાભ લઇ શકે છે.

રાજકોટ ઝોન ડીસીપી શ્રી પ્રદીપકુમાર, એસપી શ્રી રાઠોડ, એ ડિવીઝનના પીઆઈ શ્રી જોષી, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હડીયાએ આજરોજ મંદિરની મુલાકાત લીધી હતી.

આમ રામનાથ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ જ છે અને ખોટી અફવા ન ફેલાવવા મંદિરના પૂજારી શ્રી, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા અને મંદિરના સેવકો દ્વારા અનુરોધ કરાયો છે.

(4:19 pm IST)