Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગુજરાતમાં કયાય કોરોનાના દર્દીના નામ જાહેર થતા નથી માટે રાજકોટમાં પણ નહી થાયઃ ઉદિત અગ્રવાલ

રાજકોટ : શહેરમાં કોરોનાનાં દર્દીઓના નામ જાહેર થવાનું બંધ થતા આ બાબતે ભારે હોબાળો મચ્યો છે ત્યારે પત્રકાર પરિષદમાં આ અંગેના સવાલના જવાબમાં મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યંુ હતું કે 'ગુજરાત રાજયમાં કયાંય પણ કોરોનાના દર્દીઓના નામો જાહેર થતા નથી માટે રાજકોટમાં પણ હવે નામ નહી જાહેર કરાય કેમ કે દર્દીના નામ જાહેર કરવાથી ભારે મુશ્કેલી સર્જાય છે માટે સરકારની ગાઇડ લાઇન મુજબ આ કામગીરી થઇ રહી છે.

(4:31 pm IST)