Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વિનોદનગરમાં દશામાના વ્રત માટે મંડપ બાંધતી વખતે પડી જતાં સુનિલપરીનું મોત

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ વિનોદનગર આવાસ ક્‍વાર્ટરમાં ઘર આંગણે મંડપ બાંધતી વખતે પડી જતાં બાવાજી યુવાનનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ વિનોદનગર ક્‍વાર્ટરમાં રહેતો સુનિલપરી જગદીશપરી ગોસ્‍વામી (ઉ.વ.૩૪) ગઇકાલે બપોરે ઘર આંગણે દશામાના વ્રત માટે મંડપ બાંધી રહ્યો હતો ત્‍યારે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. સુનિલપરી બે બહેનનો એકનો એક ભાઇ હતો. તે કડીયા કામ કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:55 am IST)