Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ખેડુતો માટે અપાર કાર્યો કરનારા વિઠ્ઠલભાઇ સદા યાદઃ ભૂપત બોદર

રાજકોટ તા. ર૯ : ખેડુતોના હૃદયસમ્રાટ સ્‍વ.વિઠ્ઠલભાઇ રાદડીયાને તૃતીય પુણ્‍યતિથી નિમિતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા જિલ્‍લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરએ જણાવેલ કે કદાવર નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાનું સમગ્ર જીવન ખેડુતો માટે આશિર્વાદ રૂપ રહ્યું હતું. તેમના થકી અનેક ખેડુતોના જીવન ખુશહાલ બન્‍યા હતા. લાખો ખેડુતોના માનસપટ પર તેઓ હરહંમેશ અંકિત રહેશે. ખેડુતોના તાત અને રાજનેતા વિઠ્ઠલભાઇનો જન્‍મ જામ કંડોરણામાં થયો હતો. તેઓ જીવનભર ખેડુતોના હિતઅર્થે કામ કરતા રહ્યા ખેતી અને સમાજ જીવનના પાયામાં રહ્યા છે. લેઉવા પટેલ સમાજમાં વિઠ્ઠલભાઇ આગવુ સ્‍થાન ધરાવતા હતા તેમના કાર્યને લોકો આજે'ય યાદ કરે છે.

(4:53 pm IST)