Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે શિવતાંડવ ધ્‍યાન -શિવ સૂત્ર પ્રવચન માલા- સંધ્‍યા ધ્‍યાન

શ્રાવણ માસના સોમવારે

રાજકોટઃ છેલ્લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમદિર અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧ને સોમવારના રોજ શ્રાવણમાસનો પ્રથમ સોમવારનાં રોજ હરસાલની માફક સાંજના ૬.૩૦થી ૮ દરમ્‍યાન શિવતાંડવ ધ્‍યાન ઓશોની શિવ સૂત્ર પરની પ્રવચન માલા તથા સંધ્‍યા સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉપરોકત શિવતાંડવ ધ્‍યાન તથા શિવસૂત્ર પરથી પ્રવચનમાલામાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વામિસત્‍યપ્રકાશે અનુરોધ કરેલ છે.

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલ રોડ, વિવકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ

વિશેષ માહિતી માટે સ્‍વામી સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(1:46 pm IST)